ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરમાં વર્ષોથી વસવાટ કરતાં એક ડઝનથી વધુ પાક હિન્દુ નાગરિકોને ભારતીય નાગરિકત્વ એનાયત કરવામાં આવ્યા છે ત્યારે વધુ 25 પાકિસ્તાની હિન્દુ નાગરિકોને આવતા સપ્તાહમાં ભારતીય નાગરીકત્વ કલેકટર અરૂણ મહેશ બાબુના હસ્તે આપવામાં આવશે.
આવતા સપ્તાહમાં 25 પાકિસ્તાની હિન્દુ નાગરિકોને ભારતીય નાગરિકત્વ કલેકટર કચેરી ખાતે આપવામાં આવશે. પાક. હિન્દુ શરણાર્થીઓને ભારતીય નાગરિકત્વ આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરાયેલ ખરડા અંતર્ગત પાક. હિન્દુ નાગરીકોને ભારતીય નાગરીકત્વ આપવામાં આવી રહ્યું છે. જિલ્લા કલેકટર કચેરી દ્વારા અગાઉ પણ પાક. હિન્દુઓને ભારતીય નાગરિકત્વ અધિકાર પત્ર એનાયત કરવામાં આવ્યા હતા ત્યારે આગામી સપ્તાહમાં આ નાગરિકોને અધિકાર પત્રો કલેકટર દ્વારા એનાયત કરવામાં આવનાર છે.