By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈઝરાયેલ-ઈરાન-અમેરિકા સતા જાળવી રાખવાની હોડનો ભોગ વિશ્ર્વ બનશે?
    7 hours ago
    ઇન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટ્યો, 6.8 માઇલ ઊંચા રાખના વાદળો ફેંક્યા
    1 day ago
    અમદાવાદ દુર્ઘટના બાદ એર ઇન્ડિયાએ 66 બોઇંગ 787 ફ્લાઇટ્સ રદ કરી: DGCA
    1 day ago
    ‘યુદ્ધ શરૂ, કોઈ દયા નહીં’: ટ્રમ્પ દ્વારા ખામેનીના શરણાગતિ માંગ્યા બાદ ઈરાનની અમેરિકા અને ઇઝરાયલને ચેતવણી
    2 days ago
    ઈઝરાયલનાં હવાઈ હુમલામાં ઈરાની સેનાના ડેપ્યુટી કમાન્ડરનું મોત
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પીએમ મોદી ક્રોએશિયા પહોંચ્યા, કોઈ ઈન્ડિયન PMની આ પહેલી મુલાકાત
    8 hours ago
    મોડી રાતે પૂણેમાં ગમખ્વાર અકસ્માત, સ્વિફ્ટ કાર ઊભી પિકઅપમાં ઘૂસી જતાં 9નાં મોત
    8 hours ago
    ‘ભારત વિરુદ્ધ ખાલિસ્તાનીઓ કેનેડાની ધરતીનો કરે છે ઉપયોગ’
    8 hours ago
    ઇઝરાયલનો ઇરાનના પરમાણુ રિએક્ટર પર હુમલો
    8 hours ago
    નવો FASTag કેવી રીતે ખરીદવો? માન્યતા કેટલી છે? કઈ ટ્રિપ્સ ગણાશે?
    11 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કાલથી ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણી: હેડિંગ્લેમાં ટોસ બનશે ‘બોસ’
    8 hours ago
    ભારતના ટેસ્ટ કેપ્ટન ન બનવા પર જસપ્રીત બુમરાહે મૌન તોડ્યું: ‘કોહલી અને રોહિત નિવૃત્તિ લેતા પહેલા, મેં BCCI ને ફોન કર્યો હતો…’
    1 day ago
    ICC મહિલા વર્લ્ડ કપ 2025નું શેડ્યૂલ જાહેર: ભારત-પાક. ટીમો વચ્ચેનો મેચ 5 ઓકટોબરે શ્રીલંકામાં રમાશે
    3 days ago
    ઇંગ્લેન્ડ ભારતને 3-2થી હરાવશે: ટેસ્ટ સિરિઝ પહેલા ડેલ સ્ટેને આગાહી કરી
    3 days ago
    રાશિદ ખાનએ ​​મેજર ક્રિકેટ લીગ 2025માંથી નામ પાછું ખેંચી લીધું
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    શું અજયની શૈતાન ટુમાં કાજોલ કેમિયો કરશે ?
    11 hours ago
    અજય દેવગણે મને બહુ હેરેસ કરી છે….આ કાજોલ શું બોલી
    1 day ago
    નાણાંકીય મુશ્કેલીઓને કારણે ‘વેલકમ ટુ ધ જંગલ’નું શૂટિંગ રોકાયું
    2 days ago
    શું દીપિકા પાદુકોણ બાદ હવે અલ્લુ અર્જુન પણ “સ્પિરિટ”માં નહીં દેખાય ?
    5 days ago
    મારી વહાલસોઈ દીકરી દેવીનો સંગાથ મને બધું ભૂલાવી દે છે
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
    1 week ago
    વર્ષના છેલ્લા મોટા મંગળવારે ભગવાન હનુમાનને પ્રસન્ન કરો
    1 week ago
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    2 weeks ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    3 weeks ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    3 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    4 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    1 month ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પત્રકારત્વમાં સમજણ, શિક્ષણ અને લાયકાતનો અભાવ એ પડકાર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > પત્રકારત્વમાં સમજણ, શિક્ષણ અને લાયકાતનો અભાવ એ પડકાર
ગુજરાતજુનાગઢ

પત્રકારત્વમાં સમજણ, શિક્ષણ અને લાયકાતનો અભાવ એ પડકાર

Khaskhabar Editor
Last updated: 2022/07/02 at 4:10 PM
Khaskhabar Editor 3 years ago
Share
8 Min Read
SHARE

પત્રકારત્વને ક્ષેત્રે 30 વર્ષનું ખેડાણ કરનાર અર્જૂનભાઇ પરમારની ‘ખાસ-ખબર’ સાથે વિશેષ મુલાકાત

વાંચનનાં શોખથી અર્જુનભાઈને પત્રકાર બનવા પ્રેરણા મળી : ગિરનારનાં લગાવથી જૂનાગઢને કાયમી વતન બનાવ્યું

- Advertisement -

ગુજરાતી પત્રકારત્વને 200 વર્ષ પૂર્ણ થયા. 1 જુલાઇ 1822માં પ્રથમ ગુજરાતી અખબાર શરૂ થયું હતું. જે દિવસે ગુજરાતી પત્રકારત્વને 200 વર્ષ પૂર્ણ થયા તે જ દિવસે પત્રકારત્વ ક્ષેત્રે 30 વર્ષનું ખેડાણ કરનાર જૂનાગઢ માહિતી ખાતાનાં માહિતી નિયામક અર્જૂનભાઇ પરમાર નિવૃત થયા. 30 વર્ષની નોકરીમાં પત્રકારત્વમાં અનેક ચડાવ ઉતાર જોનાર અર્જૂનભાઇ પરમારે 1989માં જર્નાલિઝનો અભ્યાસ કર્યો અને 1991માં માહિતી વિભાગમાં મદદની માહિતી અધિકારી તરીકે કચ્છ-ભૂજથી નોકરી શરૂઆત કરી. પત્રકારત્વ ક્ષેત્ર તડકા છાયા જોનાર અર્જૂનભાઇ પરમારની ખાસ ખબર સાથે ખાસ મુલાકાત…

કહેવાય છે કે, દરેક જગ્યાથી ન્યાય ન મળે ત્યારે વ્યકિતે પત્રકાર પાસે ન્યાયની અપેક્ષા સાથે આવે છે. પત્રકારત્વને લોકોશાહીનો ચોથો સ્થંભ માનવામાં આવે છે. વર્તમાન સમયમાં દરેક શહેરમાં મોટી સંખ્યામાં પત્રકાર મળી રહે. પરંતુ 80-90નાં દાયકામાં ખુબ ઓછા લોકો આ ક્ષેત્ર સાથે જોડાતા હતાં. ત્યારે 1989માં જર્નાલિઝમ કરનાર અર્જૂનભાઇ પરમાર તે સમયનાં ગણીયા ગાઠિયા લોકોમાંના એક હતાં. અર્જૂનભાઇ પરમારનો જન્મ 1 જૂન 1964માં જામજોધપુર તાલુકાનાં મોટા વડીયા ગામે થયો હતો. ખેડૂત પરિવારમાં જન્મ થયો હતો. પિતા માલદેભાઇ કરશનભાઇ પરમાર 4 ધોરણ સુધી ભણેલા હતાં. પોતે ખેતી કરતા અને સાથે નાનો એવો વેપાર કરતા હતાં. માતા સાજીબેન અભણ હતા અને પિતાનો ઓછો અભ્યાસ અને ખેડૂત હોવા છતા સંતાનોને ઉચ્ચ શિક્ષણ આપવાની સમજ ધરાવતા હતાં. બાળકો ભણી શકે તે માટે તાલુકા કેન્દ્ર ઉપર મકાન બનાવ્યું હતું અને પરિવારનાં તમામ બાળકો અહીં રહી અભ્યાસ કરતા હતાં. અર્જૂનભાઇ પરમારે પ્રાથમિક શિક્ષણ મોટાવડિયામાં લીધું હતું. બાદ જામજોધપુર,બગસરા અને રાજુલામાં માધ્યમિક શિક્ષણ મળેવ્યું હતું. બાદ બીકોમ ગાંધીનગર કર્યુ અને જર્નાલિઝમ અમદાવાદમાં પૂર્ણ કર્યું.

ખેડૂત પુત્રએ જર્નાલિઝમ કરી 1991માં માહિતી વિભાગમાં નોકરીની શરૂઆત કરી

- Advertisement -

અર્જૂનભાઇ પરમારે કહ્યું કે, જે તે સમયે દુષ્કાળ વધુ પડતા. 86-87નાં દુષ્કાળમાં ઘરની આર્થીક સ્થિતી નાજુક બની ગઇ હતી. કોલેજનાં અભ્યસમાં મુશ્કેલી ઉભી થઇ રહી હતી. ત્યારે ઇશ્ર્વરની કૃપાથી ઓબીસીની છાત્રાલયમાં પ્રવેશ મળ્યો. તો અગળ અભ્યાસમાં અનુકુળતા રહી.વાંચનો ખુબ શોખ હતો. ગાંધીનગર અભ્યાસ દરમિયાન લાઇબ્રેરીમાં વાંચન માટે જતા હતાં. અહીં નિયમીત અખબાર વાંચતા હતાં. વાંચનનાં કારણે પત્રકાર બનવાની પ્રરેણા મળી. 1989માં જર્નાલિઝમ કર્યુ. 1991માં સરકારનાં માહિતી વિભાગમાં નોકરી મળી. પ્રથમ કચ્છ-ભુજમાં માહિતી મદદનીશ તરીકે નોકરીની શરૂઆત કરી. બાદ જોડિયા,વિરપુર, સુરેન્દ્રનગર, જૂનાગઢ, જામનગર, ગીર સોમનાથ અને છેલ્લે જૂનાગઢમાં નોકરી કરી. ગિર સોનાથ જિલ્લો નવો જિલ્લો બનતા સહાયક માહિતી નિયામક તરીકે પ્રમોશન સાથે નિમણુંક થઇ. નવા જિલ્લાનાં પ્રથમ માહિતી નિયામક બન્યાં. બાદ 2019માં કલાસ વન તરીકે પ્રમોશન સાથે જૂનાગઢ બદલી થઇ અને જૂનાગઢમાં 30 જૂન 2022નાં નિવૃત થયા. નોકરીનાં સિધ્ધાંત જણાવતા કહ્યું હતું કે, નોકરી દરમિયાન નો પેન્ડીંગ વર્કનો સિધ્ધાંત અપનાવ્યો હતો. કોઇ કામ બાકી રહેવા ન દેવું. જેનાથી નોકરી દરમિયાન કામનું પ્રેસર રહેતું ન હતું. નોકરીમાં પ્રમોશન મળ્યાં પછી અધિકારી બન્યા, બાદ એક પણ કર્મચારીને નોટીસ આપી નથી. હકારાત્મક અભિગમનાં કારણે નોકરીમાં સરળતા રહી છે. કનુભાઇ કરમટા મારા ગુરુ રહ્યાં છે. તેમની પાસેથી હકારાત્મકા શિખવા મળી છે. જે પરિવાર અને નોકરીમાં ફાયદો થયો છે. 30 વર્ષ પહેલાનાં અને વર્તમાન પત્રકારત્વમાં શુ તફાવત અને હાલ પડકાર શું છે ? તેના જવાબમાં અર્જૂનભાઇ પરમારે કહ્યું હતું કે, હાલ કામ આંગળીનાં ટેરવા પર થઇ રહ્યું છે. એક જ મિનીટમાં હજારો લોકો સુધી સમાચાર પહોંચી જાય છે.ત્યારે દરેક મિડિયા ઓફસમાં સમાચાર આપવા જવા પડતા હતાં. ફોટો કોપી આપવા જવી પડતી હતી. હવે બધુ મેઇલથી મોકલી શકાય છે. પત્રકારત્વમાં પડકારની વાત કરીએ તો સંશોધામત્ક પત્રકારત્વ ખુબ ઓછું થઇ રહ્યું છે. પત્રકારત્વ સામે સોશિયલ મિડિયાનો એક મોટો પડકાર છે. સાથે હાલ જેના હાથમાં મોબાઇલ આવી ગયો તે પણ પત્રકાર બની થયા છે. પત્રકારત્વ ક્ષેત્રે સમજણ, લાયકાત અને શિક્ષણનો અભાવએ પડકાર બની રહ્યો છે. બીજુ વન સાઇડ પત્રકારત્વ થઇ રહ્યું છે. સમાજ ઉપયોગી પત્રકારત્વ ખુબ જ ઓછું જોવા મળી રહ્યું છે. વ્યકિત વિશેષ, ઉદ્યોગો,કૃષિ, શિક્ષણની સારી બાબતો જેવા અનેક મુદાઓ હાલ છુટી રહ્યાં છે. સમાચારમાંથી હકારાત્મક અભિગમ ઓછો થઇ રહ્યો છે. સમાજનાં તેની ખાસ જરૂર છે. લોકોને પ્રેરણા આપતા સમાચાર ઓછો થઇ રહ્યાં છે. જૂનાગઢને વતન કેમ બનાવ્યું ? અર્જૂનભાઇ પરમારે કહ્યું હતું કે, જૂનાગઢ અભ્યાસ કરતા ત્યારથી જૂનાગઢ અને ગિરનાર ખુબ જ ગમતા હતાં. જૂનાગઢમાં જ કાયમી સ્થાયી થવાનું સ્વપ્ન હતું. જે પૂર્ણ થયું છે. જૂનાગઢનાં કાયમી વતની બની ગયા છે. ગિરનાર ઉપરાંત મોતીબાગ પસંદ છે. છેલ્લા 22 વર્ષથી મોતીબાગે ચાલવા માટે જાવ છું. અર્જૂનભાઇ પરમારે જણાવ્યું હતું કે, સરકારી નોકરીનાં કારણે કામ રહેતું. તેમા પણ માહિતી ખાતામાં નોકરી દરમિયાન ઘણી વખત શનિ-રવિવારનાં નોકરી પર જવાનું થતું હતું. ત્યારે મારા પત્નીનો ખુબ જ સહકાર મળ્યો. સામાજીક દરેક પસંગ તેમને પૂર્ણ કર્યા. હવે હું નિવૃત નથી થયો મારા પત્ની નિવૃત થયા છે. હવે સામાજીક પ્રસંગોમાં જવાનું મારું કામ છે. તેમને નિવૃત કરવાં છે.પહેલા પણ પરિવારને પુરતો સમય આપતા હતાં. અને હવે પરિવારને જ સમય આપવો છે.

નો પેન્ડિંગ વર્કનાં સિધ્ધાંતથી નોકરી કરી : અધિકારી તરીકે એક પણ કર્મચારીને નોટિસ નથી આપી

પિતાજી ખુબ શ્રમ કરાવતા એટલે અમે અભ્યાસમાં રસ લેતા
અર્જૂનભાઇ પરમારે કહ્યું હતું કે, પિતા અને દાદા બન્ને ઓછું ભણેલા. પરંતુ બાળકોને સારું શિક્ષણ મળે તેવો આગ્રહ રાખતા હતાં. અમે વેકેશનમાં ગામડે જતા ત્યારે ખેતરમાં ખુબ જ મહેનત કરાવતા હતાં. આ મહેનતથી અમે આપો આપ આગળ અભ્યાસનું મન થતું હતું. અહીંથી જીવનમાં પરિવર્તન આવ્યું. અભ્યાસ નહી કરીએ તો આગળ જતા ખેતી કરવી પડશે. જોકે દરેક વ્યકિતે પોતાનાં પિતૃક વ્યવસાય છોડવો જોઇએ નહી. હું આજે પણ ખેતી સાથે જોડાયેલો છું. મને મળેલા શિક્ષણનાં કારણે મારા બન્ને સંતાનોને પણ ઉચ્ચશિક્ષણ આપી શકયાં.

વાંચન, ભ્રમણનો શોખ, ઇશ્ર્વરમાં શ્રદ્ધા, જીવનમાં કોઇ જ ઓફસોસ નહી
અર્જૂનભાઇ પરમારને વાંચનનો શોખ છે. તેમજ ફરવુ ગમે છે. ગિરનાર ઉપરાંત કર્ણાટક,રાજસ્થાન, કાશ્મીર તેમનાં ફરવાનાં પસંદીનાં સ્થળ છે. તેમણે કહ્યું કે, ઇશ્ર્વરમાં ખુબ જ શ્રધ્ધા છે. જીવનમાં કોઇ જ ઓફસોસ નથી. પણ સંતોષ છે. ગામડાનો છોકરો કલાસ વન ઓફીસર બને તો સંતોષ જ કહેવા. નોકરી દરમિયાન વિરપુર, સોમનાથ , જૂનાગઢ,દ્વારકા રહેવાનું થયું તો ખુબ જ આનંદ થયો. ધાર્મીક સ્થળો પર નોકરી કરવાની સંતોષ થયો છે.

સરકારી નોકરીમાં કાયમી હકારાત્મક અભિગમ
અર્જૂનભાઇ પરમારે જણાવ્યું હતું કે, માહિતી ખાતા સાથે લોકોનો સીધો સંપર્ક હોતો નથી. પરંતુ કોઇ વ્યકિત અહીં આવી ચડતા તો તેને સાંભળતા હતાં. માહિતી વિભાગમાં નોકરીનાં કારણે અન્ય કચેરી સાથે ઓળખાણનાં કારણે જેતે વિભાગમાં ફોન કરી તેનો સંપર્ક કરાવી દેતા હતાં. સરકારનો નાનામાં નાનો કર્મચારી સરકારનો પ્રતિનીધી છે,તેમ સમજી કામ કર્યું છે. સરકારી નોકરીમાં કાયમી હકારાત્મક અભિગમ રાખ્યો હતો.

 

You Might Also Like

સ્વ.અજયરાજસિંહ જાડેજાની પૂણ્યતિથિ નિમિત્તે શુક્રવારે રક્તદાન કેમ્પ

પોરબંદર: માધવાણી કોલેજ પાસે કાર પલ્ટી: એકની હાલત ગંભીર, રાજકોટ રેફર કરાયો

હિરપરા પરિવારનું ગૌરવ: કુસ્તી વર્લ્ડ કપમાં હીરપરા રૂદ્રએ સિલ્વર મેડલ જીત્યો

સ્વ. લાખાભાઇ દેવાણંદભાઈ ખાદાની 25મી પૂણ્યતિથિ નિમિત્તે રકતદાન કેમ્પ યોજાયો

સેવા સહકાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિ: શુલ્ક સોમનાથ જાત્રા

TAGGED: arjunbhaiparmar, junagadh
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article માણાવદરમાં 4 અને વંથલીમાં 3 ઇંચ વરસાદ
Next Article વિદેશી સાથે લગ્ન કરનારી યુએઈની મહિલાઓના સંતાનોને નાગરિકત્વ મળશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ઈઝરાયેલ-ઈરાન-અમેરિકા સતા જાળવી રાખવાની હોડનો ભોગ વિશ્ર્વ બનશે?

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
સ્વ.અજયરાજસિંહ જાડેજાની પૂણ્યતિથિ નિમિત્તે શુક્રવારે રક્તદાન કેમ્પ
પોરબંદર: માધવાણી કોલેજ પાસે કાર પલ્ટી: એકની હાલત ગંભીર, રાજકોટ રેફર કરાયો
હિરપરા પરિવારનું ગૌરવ: કુસ્તી વર્લ્ડ કપમાં હીરપરા રૂદ્રએ સિલ્વર મેડલ જીત્યો
સ્વ. લાખાભાઇ દેવાણંદભાઈ ખાદાની 25મી પૂણ્યતિથિ નિમિત્તે રકતદાન કેમ્પ યોજાયો
સેવા સહકાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિ: શુલ્ક સોમનાથ જાત્રા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

સ્વ.અજયરાજસિંહ જાડેજાની પૂણ્યતિથિ નિમિત્તે શુક્રવારે રક્તદાન કેમ્પ

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
પોરબંદર

પોરબંદર: માધવાણી કોલેજ પાસે કાર પલ્ટી: એકની હાલત ગંભીર, રાજકોટ રેફર કરાયો

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રાજકોટ

હિરપરા પરિવારનું ગૌરવ: કુસ્તી વર્લ્ડ કપમાં હીરપરા રૂદ્રએ સિલ્વર મેડલ જીત્યો

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?