By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પોર્ટુગલની સંસદે બુરખા પ્રતિબંધ બિલને મંજૂરી આપી, 4 લાખ રૂપિયા સુધીનો દંડ પ્રસ્તાવિત
    9 hours ago
    પાકિસ્તાન અને અફઘાનિસ્તાન દોહા વાટાઘાટો દરમિયાન તાત્કાલિક યુદ્ધવિરામ માટે સહમત થયા: કતાર
    9 hours ago
    Viral વિડિયો : એર ચાઇના ફ્લાઇટમાં આગ લાગી, ઇમરજન્સી લેન્ડિંગ કરાયું
    10 hours ago
    ભારતીયો અમેરિકામાં રહી દેશનું શોષણ કરે છે : ફ્લોરિડા સિટી કાઉન્સિલના નેતા ચૅન્ડલર લેંગવિનનું વિવાદાસ્પદ નિવેદન
    10 hours ago
    મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણનો માર્ગ મોકળો: બેલ્જિયમ કોર્ટે આપી મંજૂરી
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિવાળી પછી પ્રધાનમંત્રી મોદી બિહારમાં ચૂંટણીને લઈને 12 રેલીને સંબોધન કરશે
    9 hours ago
    AIMIMએ બિહાર વિધાનસભા ચૂંટણી માટે 25 ઉમેદવારોની યાદી જાહેર કરી
    9 hours ago
    અયોધ્યામાં દીપોત્સવ, આજે રચાશે ઈતિહાસ, સર્જાશે બે નવા વર્લ્ડ રેકોર્ડ
    10 hours ago
    તમામ કેસોમાં CBI તપાસનો આદેશ આપી ન શકાય : સુપ્રીમ
    1 day ago
    દિલ્હીવાસીઓએ 2025માં સાયબર ગુનાઓમાં 1000 કરોડ ગુમાવ્યા
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    “સન્ડે બરબાદ”: ઓસ્ટ્રેલિયામાં વિરાટ કોહલી, રોહિત શર્માનો ફ્લોપ શો, મિમ્સ થયા વાઈરલ
    7 hours ago
    રવિવારે પર્થમાં પહેલી વન-ડેથી શરૂ થશે ત્રણ મેચની સિરીઝ
    2 days ago
    ક્રિકેટના ‘કિંગ’ વિરાટ કોહલીએ ગુરુગ્રામની ‘વિકેટ’ ભાઈને સોંપી!
    2 days ago
    વન-ડે સીરિઝમાં હવે કેમેરોન ગ્રીનના સ્થાને માર્નસ લાબુશેનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો
    2 days ago
    કેન વિલિયમસન IPL 2026 પહેલા લખનૌ સુપર જાયન્ટ્સમાં જોડાયો, પરંતુ એક ખેલાડી તરીકે નહીં…
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલિયા રણવીર દિવાળીના દિવસે પોતાના નવા ઘરે શિફ્ટ થશે
    8 hours ago
    ત્રીજી વખત કપિલ શર્માના કેનેડાના કેફેમાં ફાયરિંગ
    2 days ago
    મહાભારતના કર્ણના અવસાન પર દ્રૌપદીનું પાત્ર ભજવનાર અભિનેત્રી ભાવુક થયા
    3 days ago
    હવે સેન્સર બોર્ડે બીફના ઉલ્લેખ પર કાયમી પ્રતિબંધ મુકાશે
    5 days ago
    કામ કરો, કોઈને તમારી વાતોમાં રસ નથી અભિનવ કશ્યપને સલમાન ખાનનો જવાબ
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    10 hours ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    10 hours ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    1 day ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    1 day ago
    આ વખતે ધનતેરસના દિવસે સોનું ખરીદવાના ત્રણ શુભ મુહૂર્ત છે
    4 days ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    2 days ago
    રીબડાનાં અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહના જામીન ફગાવતી સુપ્રીમ
    5 days ago
    હનન ચાવડાએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જન્નત મિરને ધમકી આપી
    1 week ago
    ‘ઝીરો મેકિંગ ચાર્જ’ ના નામે મોટી બ્રાન્ડની જ્વેલરીમાં ભયંકર છેતરપિંડી
    1 week ago
    રાજકોટની ભંગાર રેફ્યુજી કોલોની બની દારૂડિયા, ગંજેરી, લુખ્ખાઓનો અડ્ડો
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શું છે ‘વન નેશન, વન ઈલેક્શન’ ફોર્મ્યુલા?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > શું છે ‘વન નેશન, વન ઈલેક્શન’ ફોર્મ્યુલા?
રાષ્ટ્રીય

શું છે ‘વન નેશન, વન ઈલેક્શન’ ફોર્મ્યુલા?

Khaskhabar Editor
Last updated: 2023/09/04 at 5:06 PM
Khaskhabar Editor 2 years ago
Share
8 Min Read
SHARE

જાણો તેના લાભ અને ગેરલાભ વિશે

કેન્દ્ર સરકારે 18થી 22 સપ્ટેમ્બર, 2023 સુધીના પાંચ દિવસો દરમિયાન સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. આ સત્રમાં પાંચ બેઠકો કરવામાં આવશે. વિશેષ સત્રની જાહેરાતના બીજા દિવસે ‘વન નેશન, વન ઈલેક્શન’ની સંભાવનાઓ તપાસવા માટે કેન્દ્ર સરકારે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં એક સમિતિનું ગઠન કર્યું. જ્યારથી સરકાર દ્વારા વિશેષ સત્ર બોલાવવાની જાહેરાત કરાઈ છે ત્યારથી એવી અટકળો ચાલી રહી છે કે આ સેશન દરમિયાન ‘વન નેશન, વન ઈલેક્શન’ માટેનું બિલ રજૂ કરવામાં આવશે. જોકે, સરકાર તરફથી આ મામલે ફોડ પાડવામાં આવ્યો નથી. આવી અટકળો વચ્ચે ઘણા લોકો જાણવા માંગતા હશે કે આ ‘વન નેશન, વન ઈલેક્શન’ શું છે? અને તેના લાભ-ગેરલાભો શું છે? શું છે ‘વન નેશન, વન ઈલેક્શન’? આ બધા પ્રશ્ર્નોના સરળ જવાબ મેળવીએ. હાલમાં ભારતમાં રાજ્યની વિધાનસભાની ચૂંટણી અને દેશની લોકસભાની ચૂંટણી અલગ-અલગ સમયગાળા દરમિયાન યોજાય છે. જેમાં મતદારો અલગ-અલગ સમયગાળા દરમિયાન મત આપે છે. જ્યારે ‘વન નેશન, વન ઈલેક્શન’નો અર્થ એ કે આ બંને ચૂંટણી એકસાથે યોજવામાં આવે છે. બંનેનો સમયગાળો પણ એક જ રહે છે.

- Advertisement -

એટલે કે લોકસભા અને વિધાનસભાઓના સભ્યોને ચૂંટવા માટે મતદારો એક જ દિવસે, એક જ સમયે અથવા તબક્કાવાર મતદાન કરે છે. સ્વતંત્રતા મળ્યા બાદ ભારતમાં વર્ષ 1952, 1957, 1962 અને વર્ષ 1967 દરમિયાન લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે જ થતી હતી, પરંતુ વર્ષ 1968 અને વર્ષ 1969માં ઘણી વિધાનસભાઓ નિયત સમય કરતાં પહેલાં ભંગ થઈ ગઈ હતી. ત્યારબાદ 1970માં લોકસભા પણ ભંગ કરી દેવામાં આવી હતી. જેના કારણે ‘વન નેશન, વન ઈલેક્શન’ની પરંપરા તૂટી ગઈ હતી અને ભારતના તમામ રાજ્યોમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ અલગ-અલગ યોજાવા લાગી.

‘વન નેશન, વન ઈલેક્શન’ની ભૂતકાળમાં થયેલી ચર્ચાઓ
ડિસેમ્બર, 2015માં કાયદાપંચ દ્વારા આ વિષય પર એક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં જણાવાયું હતું કે જો દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકસાથે થાય તો કરોડો રૂપિયાની બચત થઈ શકે છે. આ ઉપરાંત વારંવાર આચારસંહિતાની અમલવારી ન થવાથી વિકાસકાર્યો પણ ગતિભેર આગળ વધી શકે છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને 2015માં દેશમાં એકસાથે ચૂંટણી કરવાની ભલામણ કરવામાં આવી હતી. જૂન, 2017માં પ્રથમ વખત આ મુદ્દે વડાપ્રધાન મોદીએ ચર્ચા કરવા માટે તમામ પક્ષો સાથે ઔપચારિક બેઠક બોલાવી હતી. ત્યારે કેન્દ્રીય મંત્રી અને બીજેપીના વરિષ્ટ નેતા રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે દેશભરમાં દર મહિને ચૂંટણી થાય છે અને એમાં ખર્ચ પણ વધુ થાય છે. આચારસંહિતા લાગુ થવાથી અનેક વહીવટી કાર્યો અટકી પડે છે. જોકે, આ મામલે અનેક પક્ષોએ વિરોધ નોંધાવ્યો હતો.
ત્યારબાદ 2020માં ઙખ મોદીએ એક સંમેલનમાં ‘વન નેશન, વન ઈલેક્શન’ને ભારતની જરૂરિયાત ગણાવી હતી. હવે 1 સપ્ટેમ્બર, 2023ના રોજ સરકારે આ મુદ્દે એક સમિતિ બનાવી છે, જેના અધ્યક્ષ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ છે. આ સમિતિ તમામ હિતધારકોના અભિપ્રાય લીધા બાદ આ મુદ્દે રિપોર્ટ તૈયાર કરશે.

18થી વધુ દેશોમાં લાગુ છે  ‘વન નેશન, વન ઈલેક્શન’ની ફોર્મ્યુલા

- Advertisement -

એટલે કે લોકસભા અને વિધાનસભાઓના સભ્યોને ચૂંટવા માટે મતદારો એક જ દિવસે, એક જ સમયે અથવા તબક્કાવાર મતદાન કરે છે. સ્વતંત્રતા મળ્યા બાદ ભારતમાં વર્ષ 1952, 1957, 1962 અને વર્ષ 1967 દરમિયાન લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે જ થતી હતી, પરંતુ વર્ષ 1968 અને વર્ષ 1969માં ઘણી વિધાનસભાઓ નિયત સમય કરતાં પહેલાં ભંગ થઈ ગઈ હતી. ત્યારબાદ 1970માં લોકસભા પણ ભંગ કરી દેવામાં આવી હતી. જેના કારણે ‘વન નેશન, વન ઈલેક્શન’ની પરંપરા તૂટી ગઈ હતી અને ભારતના તમામ રાજ્યોમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ અલગ-અલગ યોજાવા લાગી.

દુનિયામાં ઘણા દેશો પહેલાથી જ ‘વન નેશન, વન ઈલેક્શન’ના ફોર્મુલાને પર ચાલી રહ્યા છે. આ દેશોમાં જર્મની, હંગરી, દક્ષિણ આફ્રિકા, યુકે, ઈન્ડોનેશિયા, સ્પેન, સ્લોવેનિયા, અલ્બાનિયા, પોલેન્ડ, ફિલિપિન્સ, બ્રાઝિલ, બોલીવિયા, કોસ્ટા, કોલંબિયા, ગ્વાટેમાલા, રિકા, ગુઆના હોન્ડુરાસ અને બેલ્જિયમ જેવો દેશો સામેલ છે. આ દેશોમાં એક જ વાર ચૂંટણી કરવાની પરંપરા છે. પાછલા દિવસોમાં સ્વીડને પણ એક સાથે ચૂંટણી યોજી હતી જે બાદ સ્વીડન પણ ‘વન નેશન, વન ઈલેક્શન’ની ફોમ્ર્યુલાવાળા દેશોમાં સામેલ થઈ ગયું છે.

‘વન નેશન, વન ઈલેક્શન’ બિલના  ફાયદા…

લોકસભા અને રાજ્યની વિધાનસભાની ચૂંટણી એકસાથે યોજવાથી જનતાના નાણાંની બચત થશે. નાણાકીય બચતની સાથે-સાથે સમયની બચત પણ થશે તેમજ ચૂંટણીની આચારસંહિતાની વારંવાર અમલવારી ન થવાના કારણે વિકાસના કામોને પણ વેગ મળી શકશે. આ ઉપરાંત, વહીવટીતંત્ર અને સુરક્ષા દળો પરનો બોજ ઓછો થશે. એકસાથે ચૂંટણી યોજાવથી દેશના વહીવટીતંત્રને ચૂંટણી પ્રચારને બદલે વિકાસ સંબંધિત પ્રવૃતિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળી શકશે. નિષ્ણાંતોનું માનવું છે કે ‘વન નેશન, વન ઇલેક્શન’થી કાળા નાણાં પર પણ અંકુશ લગાવી શકાશે. બીજી તરફ સરકારી સંસાધનોનો ઉપયોગ પણ મર્યાદિત રહેશે.

‘વન નેશન, વન ઈલેક્શન’ બિલથી નુકસાન…

‘વન નેશન, વન ઈલેક્શન’ના કારણે કેટલીક વિધાનસભાઓનો કાર્યકાળ વધશે અથવા તો ઘટશે, જે રાજ્યોની સ્વાયત્તાને અસર કરી શકે છે. ઘણા લોકો એવું માને છે કે જો ‘વન નેશન, વન ઇલેક્શન’ હોય તો રાષ્ટ્રીય મુદ્દાઓ સામે પ્રાદેશિક મુદાઓ પ્રભાવિત થઈ શકે છે. એક સાથે ચૂંટણી યોજવાથી પ્રાદેશિક પક્ષોને નુકશાન થઈ શકે છે. આવું કરવાથી મતદારો એક દિશામાં મતદાન કરે તેવી સંભાવના વધી જશે, જેનો ફાયદો કેન્દ્ર સરકારમાં પ્રભુત્વ ધરાવતા પક્ષને થઈ શકે છે. વધુમાં, ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં વિલંબ થઈ શકે છે. ત્યાં સુધી રાજકીય અસ્થિરતા સંભવી શકે છે. એકસાથે ચૂંટણી યોજવા માટે 25 લાખ ઊટખ મશીન અને 25 લાખ ટટઙઝ મશીનો જોઈ શકે છે. જેનો ખર્ચો પણ મોટો થઈ શકે છે.

પાંચ બંધારણીય સુધારા કરવા જરૂરી
કલમ-83 (2) : આ કલમમાં કહેવાયું છે કે લોકસભાની મુદત પાંચ વર્ષથી વધુ સમય માટે લંબાવી શકાય નહીં. જોકે, તેને વહેલી વિખેરી શકાય છે.
કલમ-85(2): આ કલમમાં હાલના ગૃહ કે સંસદને વિખેરીને સામાન્ય ચૂંટણીઓ યોજી નવી સંસદ કે ગૃહની રચના કરવાની જોગવાઈ કરવામાં આવી છે.
કલમ-172(1): આ કલમમાં રાજ્યની વિધાનસભાનો જો જલ્દી ભંગ કરવામાં ન આવે તો પાંચ વર્ષ સુધી ચાલુ રાખવાની જોગવાઈ કરવામાં આવી છે.
કલમ-174(2): આ કલમમાં રાજ્યપાલ પાસે કેબિનેટની સલાહથી અને સહાયથી વિધાનસભાને ભંગ કરવાનો અધિકાર છે. જો કોઈ સીએમની ભલામણ સામે શંકા હોય તો રાજ્યપાલ પોતાની રીતે નિર્ણય લઈ શકે તેવી જોગવાઈ કરવામાં આવી છે.
કલમ-356: આ કલમ કોઈપણ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની જોગવાઈને સંબંધિત છે. રાજ્યપાલની ભલામણ પર કોઈ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદી શકાય છે.

દેશમાં ‘વન નેશન, વન ઈલેક્શન’ લાગુ કરવાની પ્રક્રિયા
કાયદાપંચે એપ્રિલ 2018માં આ સંદર્ભમાં એક જાહેર નોટિસ બહાર પાડી હતી જેમાં સુધારાની વિગતો આપવામાં આવી હતી. આ કાયદાપંચના જણાવ્યા અનુસાર, ‘વન નેશન, વન ઇલેક્શન’નો પ્રસ્તાવ બંધારણની કલમ 328ને પણ અસર કરશે, જેના માટે મહત્તમ રાજ્યોની મંજૂરી લેવી પડી શકે છે. બંધારણના અનુચ્છેદ 368(2) મુજબ આવા સુધારા માટે ઓછામાં ઓછા 50% રાજ્યોની મંજૂરી જરૂરી છે, પરંતુ તે ‘વન નેશન, વન ઇલેક્શન’ દ્વારા દરેક રાજ્યની વિધાનસભાની સત્તા અને અધિકારક્ષેત્રને અસર કરી શકે છે. તેથી, આ મામલે તમામ રાજ્યોની વિધાનસભાઓની મંજૂરી લેવાની જરૂર પડી શકે છે. કયા પછી જનપ્રતિનિધિત્વ અધિનિયમ સહિત અન્ય ઘણા કાયદાઓમાં સુધારા કરવા પણ જરૂરી છે. 30 ઓગસ્ટ, 2018ના રોજ, જસ્ટિસ બીએસ ચૌહાણના નેતૃત્વ હેઠળના કાયદા પંચના જણાવ્યા અનુસાર, બંધારણના વર્તમાન માળખા હેઠળ દેશમાં ‘વન નેશન, વન ઇલેક્શન’ યોજી શકાય નહીં. આ માટે બંધારણના જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1951માં ફેરફારની જરૂર પડશે. આ સિવાય લોકસભા અને વિધાનસભાની કામગીરી માટે બનાવેલા નિયમોમાં પણ સુધારો કરવાની જરૂર પડી શકે છે.

સૌજન્ય – ઓપઇન્ડિયા, ગુજરાતી

You Might Also Like

દિવાળી પછી પ્રધાનમંત્રી મોદી બિહારમાં ચૂંટણીને લઈને 12 રેલીને સંબોધન કરશે

AIMIMએ બિહાર વિધાનસભા ચૂંટણી માટે 25 ઉમેદવારોની યાદી જાહેર કરી

અયોધ્યામાં દીપોત્સવ, આજે રચાશે ઈતિહાસ, સર્જાશે બે નવા વર્લ્ડ રેકોર્ડ

તમામ કેસોમાં CBI તપાસનો આદેશ આપી ન શકાય : સુપ્રીમ

દિલ્હીવાસીઓએ 2025માં સાયબર ગુનાઓમાં 1000 કરોડ ગુમાવ્યા

TAGGED: OneNationOneElection
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વાંકાનેર રેલ્વે સ્ટેશને ઓખા-દહેરાદૂન ઉત્તરાંચલ એક્સપ્રેસ ટ્રેનના નવા સ્ટોપનો શુભારંભ કરાયો
Next Article Asia Cup 2023: એશિયા કપની સુપર-4માં પહોંચી ટીમ ઈન્ડિયા, નેપાળ સામે 10 વિકેટે ભવ્ય જીત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રેસકોર્સનું ગ્રાઉન્ડ ફટાકડાંથી બન્યું ‘રંગીન’

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
કાલાવડ રોડ પર આવેલા ‘પ્રેમવતી’ રેસ્ટોરન્ટના પંજાબી શાકમાંથી ઈયળો નીકળતાં ગ્રાહકોનો દેકારો
ધનતેરસે પોરબંદરની સોની બજારમાં લોકોની ભીડ ઉમટી
રાજકોટ RTO દ્વારા GJ-03-PM સીરિઝના ગોલ્ડન-સીલ્વર નંબર માટે ઈ-ઓક્શનની જાહેરાત
ધનતેરસ નિમિત્તે જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલયમાં ભગવાન ધનવંતરીજીનું ભવ્ય પૂજન અને યજ્ઞ
“સન્ડે બરબાદ”: ઓસ્ટ્રેલિયામાં વિરાટ કોહલી, રોહિત શર્માનો ફ્લોપ શો, મિમ્સ થયા વાઈરલ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

દિવાળી પછી પ્રધાનમંત્રી મોદી બિહારમાં ચૂંટણીને લઈને 12 રેલીને સંબોધન કરશે

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
રાષ્ટ્રીય

AIMIMએ બિહાર વિધાનસભા ચૂંટણી માટે 25 ઉમેદવારોની યાદી જાહેર કરી

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
ખાસ-ખબરરાષ્ટ્રીય

અયોધ્યામાં દીપોત્સવ, આજે રચાશે ઈતિહાસ, સર્જાશે બે નવા વર્લ્ડ રેકોર્ડ

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?