By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    તોઈબાના આતંકી હાફિઝ સઈદના ‘રાઈટ હેન્ડ’ને પાકિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી
    2 hours ago
    માલદીવમાં અમેરિકન રાજદૂતનું ‘અપમાન’? પ્રમુખ મુઈજ્જુએ મુલાકાત ન કરી, ટ્રમ્પ ગુસ્સે ભરાશે!
    1 day ago
    અમેરિકાનું ‘ડ્રગ્સ ઝોમ્બી ઝોન’ માનવતા હારી અને નશો જીત્યો
    2 days ago
    ઈરાન-US ડીલ અટવાઈ, અમેરિકા 20 વર્ષ માટે પરમાણુ કાર્યક્રમ રોકવા મક્કમ, ઈરાન 5 વર્ષ માટે તૈયાર
    2 days ago
    હોર્મુઝ સંકટ વચ્ચે ટ્રમ્પ જોતા રહી ગયા અને ભારત-રશિયાએ બાજી પલટી, 3 વર્ષનો રેકોર્ડ તૂટ્યો!
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    શું ચૂંટણીમાં મતદાન નહીં કરનારાઓ સામે કાર્યવાહી થશે? સુપ્રીમ કોર્ટે આપ્યો જવાબ
    1 hour ago
    લોકસભામાં હવે 850 બેઠકો! જાણો મહિલા અનામત સાથે જોડાયેલા 3 બિલોનું સંપૂર્ણ એનાલિસિસ
    3 hours ago
    મહિલા અનામત અને સીમાંકન બિલ મુદ્દે સંસદમાં ઘમસાણ, અમિત શાહે કહ્યું- વિપક્ષને વિરોધ જ કરવો છે…
    3 hours ago
    TDS રિટર્ન ફાઈલ કરવું હવે સરળ
    24 hours ago
    યુદ્ધનો અંત નજીક!
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    RCBની જીત બાદ વિવાદ: પ્લેયર ઓફ ધ મેચ મુદ્દે આકાશ ચોપડાએ કહ્યું- યુવા ખેલાડી સાથે થયો અન્યાય
    2 hours ago
    અજિંક્યા રહાણેની કેપ્ટન્સી છીનવાઈ શકે, રિંકુ સિંહ પણ સદંતર નિષ્ફળ, KKR માટે માથાનો દુઃખાવો
    1 day ago
    સતત ફ્લોપ રહ્યા બાદ ધોનીની એક સલાહે નૂર અહેમદને બનાવ્યો ગેમ ચેન્જર, KKR જોતી જ રહી ગઈ
    1 day ago
    IPL ડેબ્યુની પ્રથમ ઓવરમાં 3 વિકેટ ઝડપનાર વિશ્વનો પ્રથમ બોલર: જાણો કોણ છે પ્રફુલ હિંગે
    2 days ago
    ‘વીડિયો ડિલીટ કરી દે…’, યુજવેન્દ્ર ચહલની ટીમે તાનિયાને કરી રિક્વેસ્ટ, એક્ટ્રેસનો નવો આરોપ
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    2 hours ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    1 day ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    6 days ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    1 week ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મહાબલી હનુમાનનો શક્તિ-અવતાર!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Parakh Bhatt > મહાબલી હનુમાનનો શક્તિ-અવતાર!
AuthorParakh Bhattધર્મ

મહાબલી હનુમાનનો શક્તિ-અવતાર!

Khaskhabar Editor
Last updated: 2022/01/15 at 1:40 PM
Khaskhabar Editor 4 years ago
Share
7 Min Read
SHARE

વાંચીને આશ્ચર્ય થાય તેવી બાબત જરૂર છે કારણકે પવનપુત્ર હનુમાનને આપણે હંમેશાથી જ પુરૂષત્વનાં દેવતા તરીકે પૂજ્યા છે.

મોડર્ન ધર્મ
– પરખ ભટ્ટ 

જૂના જમાનાનાં અખાડામાં શરીર-બાંધાની દ્રષ્ટિએ હનુમાનની મૂર્તિને સૌથી આદર્શ માનવામાં આવતી હતી તથા આજના કેટલાક જીમમાં પણ તેમની બાવડેબાજ તસ્વીરો જોઈને કસરત કરનારાઓને પ્રેરણા મળે છે. વિશ્વનાં સર્વપ્રથમ અને અત્યાધિક જૂના બોડી-બિલ્ડરમાં હનુમાનની ગણના થાય છે, ત્યારે આ પ્રશ્ર્ન થવો સાવ સ્વાભાવિક છે કે એવું કયું મંદિર છે જ્યાં તેઓ સ્ત્રી સ્વરૂપમાં પૂજાય છે અને શા માટે? છત્તીસગઢનાં બિલાસપુર જિલ્લાથી લગભગ 25 કિલોમીટર દૂર રતનપુર નામનું એક નાનકડું ગામ વસેલું છે, જે ‘મહામાયા નગરી’ તરીકે પણ ઓળખાય છે. આ સ્થળ ભારતની બે વિશેષતાઓ સંઘરીને બેઠું છે.

Contents
વાંચીને આશ્ચર્ય થાય તેવી બાબત જરૂર છે કારણકે પવનપુત્ર હનુમાનને આપણે હંમેશાથી જ પુરૂષત્વનાં દેવતા તરીકે પૂજ્યા છે.મોડર્ન ધર્મ – પરખ ભટ્ટ એવું માનવામાં આવે છે કે દસ હજાર વર્ષ જૂના ગિરજાબંધ મંદિરમાં સ્થાપિત મૂર્તિ રતનપુરના રાજા પૃથ્વી દેવજૂને થયેલી સ્ફૂરણાનું ફળ છે 

સર્વપ્રથમ તો મહામાયા માતાનું મંદિર અને બીજું ગિરજાબંધ હનુમાન મંદિર! ભારતનું એકમાત્ર ધર્મસ્થળ, જ્યાં હનુમાન નારી સ્વરૂપે બિરાજી રહ્યા છે.

- Advertisement -

તેમની મૂર્તિનો આયુકાળ દસ હજાર વર્ષથી પણ પુરાણો હોવાની માન્યતા છે. લોકોમાં ગિરજાબંધ હનુમાન પ્રત્યે અખૂટ શ્રદ્ધા છે. તેઓ માને છે કે નારીરૂપ હનુમાનના દર્શન સૌથી વધુ કલ્યાણકારી અને શુભપ્રેરક છે!

નિર્માણગાથા : રતનપુરનાં રાજા પૃથ્વી દેવજૂને થઈ પ્રેરણા!

એવું માનવામાં આવે છે કે દસ હજાર વર્ષ જૂના ગિરજાબંધ મંદિરમાં સ્થાપિત મૂર્તિ રતનપુરના રાજા પૃથ્વી દેવજૂને થયેલી સ્ફૂરણાનું ફળ છે. રાજાને કોઢનો રોગ લાગુ પડી ગયો હતો, જેના લીધે તેમને રાત-દિવસ તબિયત વિશેની ચિંતાઓ એમને સતાવ્યા કરતી હતી. પોતે આવડો મોટો રાજા હોવા છતાં શારીરિક અસ્વસ્થતાને કારણે નિ:સહાય છે, એ વાત તેને અંદરોઅંદર પરેશાન કરી રહી હતી. અન્ય રાજા-રજવાડાઓને ત્યાં કામ કરતાં વૈદ્યોને આમંત્રણ મોકલવામાં આવ્યા. ભાતભાતની દવાઓ તેમજ જડીબુટ્ટીઓનો આશરો પણ લેવાયો. જરૂર પડે તો શસ્ત્રક્રિયા કરાવવા સુધી રાજા તૈયાર હતાં. પરંતુ એકપણ ઉપાય કારગત ન નીવડ્યો. આખરે તમામ વૈદ્યોએ હાથ ઊંચા કરી દીધા! કોઢને લીધે રાજા પૃથ્વી દેવજૂ કોઈની સાથે શારીરિક સુખ નહોતાં માણી શકતાં. તેમનું આખું જીવન જાણે સાવ નિરસ બની ગયું હતું. એક રાત્રે તેમણે નિર્ણય કર્યો કે આવી જિંદગી જીવવા કરતાં મરી જવું બહેતર છે! વિચારતાં-વિચારતાં તેઓ નિદ્રાધીન થઈ ગયા.
સ્વપ્નમાં રાજાએ જોયું તો સામે સાક્ષાત સંકટમોચન હનુમાન! પરંતુ તેમનું આવું રૂપ તેમણે પહેલા ક્યારેય નહોતું જોયું. નારી-સ્વરૂપ પ્રતીત થઈ રહેલા હનુમાનના એક હાથમાં લાડુ ભરેલી થાળી અને બીજા હાથમાં રામ મુદ્રા અંકિત થયેલી હતી. કાનમાં ભવ્યાતિભવ્ય ચમકદાર કુંડળનું તેજ અને માથા પર સુંદર મુકુટ માળા! અષ્ટ શ્રૃંગારયુક્ત હનુમાનજીની દિવ્ય મંગલમય મૂર્તિએ રાજા પૃથ્વી દેવજૂને કહ્યું કે ‘હે રાજન, હું તારી ભક્તિથી અતિપ્રસન્ન છું. તારું કષ્ટ જરૂરથી દૂર થશે. એક મંદિરનું નિર્માણ કરાવી તેમાં મારી મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરાવ. આ સાથે મંદિરનાં પાછળનાં ભાગે એક તળાવ ખોદાવવાનું પણ શરૂ કર. ત્યાંથી જે જળધારા પ્રાપ્ત થાય તેમાં સ્નાન કરી મારી વિધિવત પૂજા કર. આટલું કર્યા બાદ તું કોઢમુક્ત થઈ જઈશ અને ભવિષ્યમાં કોઈ રોગ તને લાગુ નહીં પડે!’

- Advertisement -

એવું માનવામાં આવે છે કે દસ હજાર વર્ષ જૂના ગિરજાબંધ મંદિરમાં સ્થાપિત મૂર્તિ રતનપુરના રાજા પૃથ્વી દેવજૂને થયેલી સ્ફૂરણાનું ફળ છે 

રાજાની આંખો સવારે ખૂલી, તો તેણે આજુબાજુ નજર ફેરવી. ઘડીભર લાગ્યું કે હજુ પોતે સ્વપ્ન જોઈ રહ્યો છે. હનુમાનજીએ કહેલી વાતોનું સ્મરણ થતાં તેણે ત્વરાથી પોતાનો નિત્યક્રમ પૂરો કરી રાજસભાનાં વિદ્વાનોને તેડું મોકલાવ્યું. વિદ્વાનોએ પણ રાજાને કહ્યું કે મંદિરનું નિર્માણ તો થવું જ જોઈએ. રાજાએ એ દિવસથી કારીગરો પાસે ગિરજાબંધમાં મંદિરનું ચણતર શરૂ કરાવી દીધું. જોતજોતામાં તો બાંધકામ પૂરું પણ થઈ ગયું. ફરી એક નવો પ્રશ્ન ઉભો થયો કે મંદિરનાં ગર્ભગૃહમાં સ્થાપન કરવા માટેની મૂર્તિ ક્યાંથી લાવવામાં આવે? થોડા દિવસો બાદ રાજાને ફરી એક સ્વપ્ન આવ્યું, જેમાં હનુમાને તેમને કહ્યું કે મા મહામાયાનાં કુંડની ભીત્તર હજારો વર્ષ પહેલાની મારી મૂર્તિ અપૂજિત અવસ્થામાં પડેલી છે, તેને બહાર કાઢી મંદિરમાં તેનું સ્થાપન કરો!

તાબડતોબ બીજા દિવસે રાજા પોતાના પરિવારજન અને પુરોહિતો સાથે મા મહામાયા દેવીનાં દરબારમાં ગયા. ઘણા દિવસો સુધી ત્યાંના કુંડમાં હનુમાનજીની મૂર્તિની શોધખોળ ચાલી, પરંતુ કશું જ હાથ ન લાગ્યું. સૌ કોઈ હતાશ થઈ ગયા. હવે તો રાજાએ પણ આશા છોડી દીધી. તેણે પોતાની સેનાને ફરી રાજમહેલ પરત ફરવાનો આદેશ આપ્યો. આમ છતાં રાજાનાં ભક્તિભાવમાં રત્તીભરનો ફેરફાર ન આવ્યો. તે નિયમિતપણે હનુમાનની આરતી કરીને પ્રજાજનોનાં સુખ-દુ:ખ સાંભળતો. દરરોજ તેમનો જીવ કચવાતો કે હનુમાનજીની આજ્ઞાનું તેઓ પૂર્ણપણે પાલન ન કરી શક્યા.
એક રાત્રે ફરી તેમને સ્વપ્નમાં હનુમાને દર્શન આપ્યા, કહ્યું કે ‘રાજન, તું હતાશ ન થઈશ! તારી શોધખોળમાં થોડીક ખામી રહી ગઈ છે. મા મહામાયાનાં ઘાટ પાસે જઈને તપાસ કર. જ્યાં લોકો સ્નાન કરે છે, પાણી ભરે છે એ બાજુ જઈને ખોદકામ કરાવ; તને મારી મૂર્તિ અવશ્ય મળી આવશે.’ સવારે ઉઠીને ઘાટ પર જઈ તેણે ખોદકામ ચાલુ કરાવ્યું. થોડું અંદર ખોદતાંની સાથે જ મૂર્તિ દેખાવા માંડી. આશ્ચર્યજનક બાબત તો એ હતી કે રાજાએ પોતાનાં સ્વપ્નમાં હનુમાનનું જે નારી-સ્વરૂપ જોયું હતું, એવું જ અદ્દલોદ્દલ રૂપ મૂર્તિનું પણ જોવા મળ્યું. મૂર્તિનાં અંગ-ઉપાંગોમાંથી દિવ્ય તેજ વરસી રહ્યું હતું. અષ્ટ શ્રૃંગારયુક્ત હનુમાનજીના એક ખભા પર ભગવાન રામ અને બીજા ખભા પર લક્ષ્મણ બિરાજેલા હતાં. તેમનાં ચરણકમળ હેઠળ નિશાચરોનું ઝૂંડ કચડાયેલી અવસ્થામાં જોવા મળ્યું. મૂર્તિ મળી જવાથી રાજાએ પણ આખરે રાહતનો શ્વાસ લીધો. મૂર્તિનાં દેખાવ વિશે આજુબાજુનાં ગામોમાં ચર્ચા થવા લાગી. રાજા પૃથ્વી દેવજૂએ એક સારો દિવસ પસંદ કરી વિધિ-વિધાનપૂર્વક મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠા કરાવી. મંદિરનાં પાછળનાં ભાગે ખોદાવેલ તળાવનું નામ તેણે ગિરજાબંધ રાખવાનું નક્કી કર્યુ. મૂર્તિનાં સ્થાપન બાદ જોતજોતામાં રાજાનો કોઢ પણ દૂર થવા લાગ્યો. જેનાં લીધે ગામવાસીઓને હનુમાનમાં પૂર્ણપણે શ્રધ્ધા બેસી ગઈ. રાજા પૃથ્વી દેવજૂ પૂર્ણ સ્વસ્થ બની ગયા. તેમણે હનુમાનજીને પ્રાર્થના કરી કે ‘જેમ મારા કષ્ટનું આપે નિવારણ કર્યુ છે, એ જ રીતે અન્ય શ્રધ્ધાળુઓની સમસ્યાનો પણ ઉકેલ લાવજો, પ્રભુ!’

સ્થાનિક લોકોમાં માન્યતા પ્રવર્તે છે કે હનુમાને સ્વપ્નમાં આવીને જે આજ્ઞા આપી એની પાછળ ખરેખર રાજા પૃથ્વી દેવજૂ ઉપરાંત અન્ય ભક્તોનાં કષ્ટ-નિવારણનો પણ હેતુ છુપાયેલો હતો. દક્ષિણામુખી હનુમાનની આ મૂર્તિનું ધ્યાનથી અવલોકન કરશો તો સમજાશે કે તેમાં પાતાળ-લોકનું ચિત્રણ છે. અહિરાવણનો સંહાર કરતી વેળાનું આ દ્રશ્ય છે, જ્યાં હનુમાનનાં એક પગ હેઠળ અહિરાવણ અને બીજા પગ હેઠળ કસાઈ જોવા મળે છે. એક ખાસ વાત એ કે છત્તીસગઢની રાજધાની રાયપુરથી લગભગ 84 કિલોમીટર અંતરે આવેલી રમઇ પાટમાં પણ આવી જ એક પ્રતિમા જોવા મળે છે, પરંતુ તેને મંદિરનાં ગર્ભગૃહને બદલે પટાંગણમાં સ્થાપિત કરવામાં આવી છે!

You Might Also Like

અક્ષય તૃતીયાએ ભૃગુશ્રેષ્ઠ ભગવાન પરશુરામનું પ્રાગટ્ય: ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર

ભાજપ, કૉંગ્રેસ, આપના ઉમેદવારોને મતદારો નહીં કાર્યકરો હરાવશે?

ફ્લેટધારક માત્ર રહેવાસી નહીં, સોસાયટીનો હિસ્સેદાર છે: GCSA અને રેરા હેઠળ મળ્યા છે મજબૂત અધિકારો

ઝોમ્બી ડ્રગ્સ: પશુઓ માટેની દવા ઝાયલેઝીનનો દુરુપયોગ!

આવો, આપણે સૌ સાથે મળીને ભારતની નારી શક્તિને સશક્ત કરીએ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સાપ-વિંછી, બ્રેડ-બિયર્ડ, પિઝા, ઘોડાનું દૂધ: પદાર્થ એવો કયો છે જેમાંથી શરાબ બનતી નથી!
Next Article પ્રાકૃતિક કૃષિ મારફત ખેડૂતોની આવક બમણી કરશે રૂપાણી સરકાર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
SCIENCE-TECHNOLOGY

બાળકોની સાથે પોતે પણ શોર્ટ્સથી દૂર રહેવું છે? YouTube આપે છે એને બંધ કરવાની સુવિધા: જાણો કેવી રીતે

Khaskhabar Editor Khaskhabar Editor 36 minutes ago
શું ચૂંટણીમાં મતદાન નહીં કરનારાઓ સામે કાર્યવાહી થશે? સુપ્રીમ કોર્ટે આપ્યો જવાબ
સુરતની મિલેનિયમ માર્કેટમાં ભીષણ આગ: ધુમાડાના ગોટેગોટાથી રિંગ રોડ પર અફરાતફરી
સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
માર્કેટ અપડેટ: સોના-ચાંદીમાં તેજીનો ઝળકાટ અને શેરબજારમાં આગેકૂચ, રોકાણકારો ખુશખુશાલ
RCBની જીત બાદ વિવાદ: પ્લેયર ઓફ ધ મેચ મુદ્દે આકાશ ચોપડાએ કહ્યું- યુવા ખેલાડી સાથે થયો અન્યાય
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

અક્ષય તૃતીયાએ ભૃગુશ્રેષ્ઠ ભગવાન પરશુરામનું પ્રાગટ્ય: ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Bhavy Raval

ભાજપ, કૉંગ્રેસ, આપના ઉમેદવારોને મતદારો નહીં કાર્યકરો હરાવશે?

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

ફ્લેટધારક માત્ર રહેવાસી નહીં, સોસાયટીનો હિસ્સેદાર છે: GCSA અને રેરા હેઠળ મળ્યા છે મજબૂત અધિકારો

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?