પંજાબમાં ધારાસભાની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ રાજયસભાના સાંસદ સંજીવ અરોરાને મેદાનમાં ઉતાર્યા
ઉતરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીમાં પણ પરાજીત થનારા દિલ્હીના પુર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હવે સાંસદ બનવાની તૈયારી કરી રહ્યા છે. પંજાબમાં લુધીયાણા વેસ્ટ ધારાસભા બેઠકની પેટાચૂંટણી યોજાનાર છે જેમાં ઉમેદવારી તરીકે આમ આદમી પાર્ટીએ પ્રતાપસિંહ બાજવાની નિયુક્તિ કરી છે.
જેઓ રાજયસભાના સાંસદ છે અને તેઓ ધારાસભ્ય તરીકે ચુંટાઈ આવ્યા બાદ રાજયસભામાંથી રાજીનામુ આપશે અને તેના સ્થાને અરવિંદ કેજરીવાલ પંજાબમાંથી રાજયસભામાં ચુંટાઈ તેવા સંકેત છે. ‘આપ’ના ધારાસભ્યના નિધનથી આ બેઠક ખાલી પડી છે અને તેથી કેજરીવાલને રાજયસભામાં મોકલવા માટે ‘આપ’ના રાજયસભાના સાંસદને ધારાસભા ચુંટણી લડવા જણાવાયુ છે.
- Advertisement -
એક તબકકે ખુદ કેજરીવાલ પંજાબની ધારાસભાની પેટાચૂંટણી લડે તેવી ચર્ચા હતી પરંતુ તેનાથી ખોટો સંદેશ જશે તેવી શકયતા દર્શાવાતા જ કેજરીવાલે હવે રાજયસભાનો માર્ગ પસંદ કર્યો છે અને આ રીતે તેઓ સાંસદ બનીને રાજયસભામાં બેસશે.