ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ, તા 24
લગ્ન કરવાનું વચન આપી તે નિભાવવામાં નિષ્ફળ જનાર પુરૃષના દરેક કિસ્સામાં આઇપીસીની કલમ-376 હેઠળ બળાત્કારનો ગુનો લાગુ પાડી શકાય નહી. આઇપીસીની કલમ-498 હેઠળ ક્રૂરતાનાના કેસોની જેમ હવે સહમતિપૂર્વકના જાતીય સંબંધોને પાછળથી બળાત્કારના આરોપો લગાવવામાં કેસો વધી રહ્યા છે એમ જસ્ટિસ દિવ્યેશ એ.જોશીએ એક પુરુષની સામે ફરિયાદ રદ કરતા નોંધ્યું હતું.
જૂનાગઢના કેશોદ ખાતે વર્ષ 2019 માં નોંધાયેલી ફરિયાદ મુજબ લગ્ન કરવાનું વચન આપી મહિલા સાથે શારીરિક સંબંધના કેસમાં પુરૃષ સામે નોંધાયેલી બળાત્કારની એફઆઇઆર રદબાતલ ઠરાવતાં ગુજરાત હાઇકોર્ટે જણાવ્યું હતું કે, પુરૃષને ત્યારે જ દોષિત ઠરાવી શકાય કે, જયારે એ બાબત સાબિત થાય કે, તેણે લગ્નનું વચન કોઇ ઇરાદા સાથે આપ્યુ હતું, તે એકમાત્ર કારણ કે, જેને લઇ મહિલા સેક્સ્યુઅલ સંબંધ માટે સંમંત થઇ હતી.
પ્રસ્તુત કેસમાં બનાવ વખતે પીડિત છોકરી 19 વર્ષની હતી અને તે પહેલેથી જ શું સાચુ છે અને શું ખોટુ છે અને તેની સાથે આવુ કૃત્ય કરવા માટેની સંમંતિ અપાય તો શું પરિણામો આવશે તે સમજી શકે તેવી પુખ્યવયે પહોંચી ગઇ હતી. ફરિયાદના આક્ષેપો જોતાં કલમ-376 હેઠળનો અન્ય કોઇપણ શ્રેણીનો કેસ આરોપી વિરુદ્ધ બનતો નથી કે, જેથી અરજદારને ટ્રાયલની પ્રક્રિયામાંથી પસાર થવુ પડે.