કાયદો – વ્યવસ્થાથી લઇને આતંકના મોરચા પર જમ્મુ – કાશ્મીર પોલીસની જવાબદારી રહેશે : કાશ્મીરના યુવાનો સાથે સરકાર વાતચીત કરવા તૈયાર : અલગાવવાદી સંગઠનો સાથે નહીં
ખાસ-ખબર ન્યૂઝ કાશ્મીર, તા.27
- Advertisement -
કેન્દ્રીય ગૃહમંત્રી શાહે જમ્મુ-કાશ્મીરને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે કેન્દ્ર સરકાર આર્મ્ડ ફોર્સ સ્પેશિયલ પાવર્સ એક્ટ એટલે કે જમ્મુપ્રકાશ્મીરમાં લાગુ AFSPA હટાવવા પર વિચાર કરી રહી છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન ગૃહમંત્રી શાહે દાવો કર્યો હતો કે સરકાર કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાંથી સૈનિકોને હટાવવાની અને અહીંની કાયદો અને વ્યવસ્થા જમ્મુ અને કાશ્મીર પોલીસ પર છોડી દેવાની પણ યોજના બનાવી રહી છે.
ગૃહમંત્રી શાહે કહ્યું છે કે સરકાર જમ્મુ અને કાશ્મીરમાંથી સૈનિકોને હટાવવાની અને કાયદો અને વ્યવસ્થા જમ્મુ અને કાશ્મીર પોલીસને સોંપવાની યોજના ધરાવે છે. તેમણે કહ્યું કે પહેલા જમ્મુ-કાશ્મીર પોલીસ પર ભરોસો ન હતો, પરંતુ આજે તેઓ ઓપરેશનનું નેતળત્વ કરી રહ્યા છે. સાથે જ અમિત શાહે એમ પણ કહ્યું કે અમે AFSPA હટાવવા અંગે પણ વિચારીશું. ગૃહમંત્રી શાહે ઈન્ટરવ્યુ દરમિયાન દાવો કર્યો હતો કે સપ્ટેમ્બર મહિના પહેલા જમ્મ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. શાહે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં લોકશાહીની સ્થાપના એ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું વચન છે અને તે પૂરું થશે. કેટલાક પક્ષો પર નિશાન સાધતા શાહે કહ્યું કે હવે જમ્મુ-કાશ્મીરમાં લોકશાહી માત્ર ત્રણ પરિવારો સુધી સીમિત નહીં રહે. જમ્મુ અને કાશ્મીરમાં અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) અને અન્ય પછાત વર્ગો (OBC) ના આરક્ષણ પર ગળહ પ્રધાન શાહે કહ્યું કે મોદી સરકારે પહેલીવાર જમ્મુ અને કાશ્મીરના OBCને અનામત આપી છે. આ સિવાય મહિલાઓને એક તળતીયાંશ અનામત આપવામાં આવી છે. તેમણે કહ્યું કે પંચાયત અને શહેરી સ્થાનિક સંસ્થાઓમાં ઓબીસી અનામત આપવામાં આવી હતી. અમે જઈ અને જઝ માટે જગ્યા બનાવી છે. ગુર્જરો અને બકરવાલોનો હિસ્સો ઘટાડ્યા વિના પહાડીઓને 10 ટકા આરક્ષણ આપવામાં આવ્યું છે. પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાંથી વિસ્થાપિત લોકોને સમાવવા માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે આ લાભો પાયાના સ્તર સુધી પહોંચે તે સુનિશ્ર્ચિત કરવા કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ છે.લોકસભાની ચૂંટણી પછી, જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળોની તૈનાતીમાં આયોજિત ઘટાડો અને આર્મ્ડ ફોર્સ સ્પેશિયલ પાવર્સ એક્ટ ( AFSPA)ને દૂર કરવા પર પણ વિચાર કરવામાં આવશે. હવે જમ્મુ-કાશ્મીર પોલીસ કાયદો અને વ્યવસ્થા અને આતંકવાદના મોરચે આગળ રહેશે. તે જ સમયે, સપ્ટેમ્બર 2024 ના અંત સુધીમાં જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની રચના કરવામાં આવશે અને આ પીએમ મોદીનું વચન છે. મોદીના વચનનો અર્થ પૂરો થવાની ગેરંટી છે.
લોકસભાની ચૂંટણી પછી, જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળોની તૈનાતીમાં આયોજિત ઘટાડો અને આર્મ્ડ ફોર્સ સ્પેશિયલ પાવર્સ એક્ટ ( AFSPA)ને દૂર કરવા પર પણ વિચાર કરવામાં આવશે. હવે જમ્મુ-કાશ્મીર પોલીસ કાયદો અને વ્યવસ્થા અને આતંકવાદના મોરચે આગળ રહેશે. તે જ સમયે, સપ્ટેમ્બર 2024 ના અંત સુધીમાં જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની રચના કરવામાં આવશે અને આ પીએમ મોદીનું વચન છે. મોદીના વચનનો અર્થ પૂરો થવાની ગેરંટી છે. હુર્રિયત કે પાકિસ્તાન સાથે વાતચીતનો કોઈ ઈરાદો નથી, કાશ્મીરના યુવાનો સાથે જ વાતચીત થશે. ગુલામ જમ્મુ અને કાશ્મીર ભારતનો એક ભાગ છે.
- Advertisement -
ભારતની સંસદે પણ એક ઠરાવ પસાર કર્યો છે. પાકિસ્તાને ગુલામ જમ્મુ-કાશ્મીર પર કબજો જમાવ્યો છે. ગુલામ જમ્મુ-કાશ્મીરની ધરતી અને ત્યાં રહેતા મુસ્લિમો પણ આપણા ભાઈ-બહેન છે. ગુલામ જમ્મુ અને કાશ્મીરનું ભારતમાં વિલીનીકરણ દરેક ભારતીયની ઈચ્છા અને ધ્યેય છે.
સપ્ટેમ્બરના અંત સુધીમાં જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની રચના થઇ જશે: ગૃહમંત્રી શાહનું મહત્વનું એલાન: કાશ્મીર અંગે એકશન પ્લાન તૈયાર
AFSPA શું છે?
AFSPA માત્ર અવ્યવસ્થિત વિસ્તારોમાં જ લાગુ કરવામાં આવે છે. આ સ્થાનો પર સુરક્ષા દળો કોઈને પણ વોરંટ વિના ધરપકડ કરી શકે છે. ઘણા કિસ્સાઓમાં બળનો ઉપયોગ પણ થઈ શકે છે. આ કાયદો ઉત્તર-પૂર્વમાં સુરક્ષા દળોની સુવિધા માટે 11 સપ્ટેમ્બર 1958ના રોજ પસાર કરવામાં આવ્યો હતો. 1989માં જમ્મુ-કાશ્ર્મીરમાં આતંકવાદ વધવાને કારણે અહીં પણ 1990માં AFSPA લાગુ કરવામાં આવી હતી. અશાંત વિસ્તાર કયા કયા હશે તે પણ કેન્દ્ર સરકાર જ નક્કી કરે છે.



