પુજા પાઠ ખોટા નિયમોથી કરવાથી ભગવાન પ્રસન્ન ને બદલે થઇ જાય છે અપ્રસન્ન

ગણેશજી, હનુમાનજી, દુર્ગા માતા કે કોઈ પણ મૂર્તિમાંથી સિંદુર લઈને માથા ઉપર લગાવવું ન જોઈએ

  • ચાલો જાણીએ શું છે પૂજા કરવાની શું છે સાચી રીત?
  • પૂજામાં દિપ સાચી જગ્યાએ રાખવો જોઈએ. ઘીનો દિપક હંમેશા જમણી તરફ અને તલનો દિપક ડાબી બાજુ રાખવો જોઈએ. જળપાત્ર, ઘંટ, ધુપદાની જેવી ચીજવસ્તુઓ હંમેશા ડાબી બાજુએ રાખવી જોઈએ.
  • ભગવાનને સ્નાન કરાવ્યાં બાદ ચંદનનું ટીલક કરવામાં આવે છે. આ દરમયાન ધ્યાન રહે કે દેવી દેવતાઓને હંમેના અનામિકા એટલે કે હાથની ત્રીજી આંગળીથી તિલક કે સિંદુર લગાવવો જોઈએ.
  • વિષ્ણુ ભગવાનને ચોખા, ગળેશજીને તુલસી, દેવીને દુર્વા અને સૂર્યને બિલ્વપત્ર ક્યારેય અર્પણ ન કરવું જોઈએ.
  • શિવજીને બિલ્વપત્ર, વિષ્ણુને તુલસી, ગણેશજીને લીલી દુર્વા અને સુર્ય ભગવાનને લાલ કરેણના ફુલ અને માં દુર્ગાને લવિંગ તથા લાલ ફુલ ખુબ જ પ્રિય છે.
  • ગણેશજી, હનુમાનજી, દુર્ગા માતા કે કોઈ પણ મૂર્તિમાંથી સિંદુર લઈને માથા ઉપર લગાવવું ન જોઈએ.
  • ભગવાનની આરતીની તૈયારી કરતા સમયે એક દિપથી બીજા દિપ અને ધુપ કે કપુર ક્યારેય ન પ્રગટાવો.
  • પૂજામાં જો કોઈ સામગ્રી ઓછી હોય તો તેનાથી પરેશાન થવાની જરૂર નથી અને વચ્ચે પૂજા ન છોડો. તેવામાં ભગવાનને ચોખા, ફુલ ચઢાવો અને મનમાં તે ચીજનું ધ્યાન ધરો.