આતંકીઓએ અમદાવાદ, લખનઉ અને દિલ્હીમાં રેકી કરી હતી: મોટા હુમલાનો ઈરાદો હતો
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
- Advertisement -
ગુજરાત ATS અને કેન્દ્રીય એજન્સીઓએ સંયુક્ત અભિયાનમાં ત્રણ આતંકવાદીઓએ ધરપકડ કરીને મોટો ખુલાસો કર્યો છે. આ આતંકવાદીઓમાં ચીનથી MBBS કરી ચૂકેલા 35 વર્ષીય ડોક્ટર અહમદ મોહ્યુદ્દીન સૈયદ પણ સામેલ છે, જે ISKPથી જોડાયેલા વિદેશમાં બેઠેલા કટ્ટરપંથીઓના સંપર્કમાં હતા. અહમદની સાથે તેમના બે સાથીઓ મોહમ્મદ સુહેલ અને આઝાદ સૈફી પણ પકડાયા છે. ATSના અનુસાર, આ ત્રણેય અમદાવાદ, લખનઉ અને દિલ્હીમાં આતંકવાદી હુમલાની તૈયારીઓ કરી રહ્યા હતા અને તેમને લાંબા સમયથી દેખરેખમાં રખાયા હતા.
ગુજરાત ATS એ દાવો કર્યો કે, ત્રણેય આતંકવાદીઓની એક વર્ષથી વધુ સમયથી દેખરેખ કરાઈ રહી હતી. તેમનું લોકેશન સતત ટ્રેસ કરાઈ રહ્યું હતું અને તેની દરેક હરકતો પર નજર હતી. આ ત્રણેય ઈંજઈંજના ખતરનાક વિંગ ઈંજઊંઙ (ઇસ્લામિક સ્ટેટ ખોરાસાન પ્રોવિન્સ)થી જોડાયેલા બે અલગ અલગ મોડ્યુલનો ભાગ ગણાય રહ્યા છે.
ગુજરાત ATSના DIG સુનીલ જોશીના જણાવ્યા અનુસાર, હૈદરાબાદ નિવાસી 35 વર્ષીય અહમદ મોહ્યુદ્દીન અંગે કેટલાક મહિનાઓથી ઇનપુટ મળી રહ્યા હતા અને તેઓ કટ્ટરપંથી ગતિવિધિઓમાં સામેલ છે. આ આધાર પર ATS તેમની દરેક ગતિવિધિઓ પર નજર રાખી રહ્યું હતું.
ATSએ અહમદને 2 દિવસ પહેલા અડાલજ ટોલ પ્લાઝાની નજીક તે સમયે પકડ્યો, જ્યારે તે કારમાં હથિયાર અને એક લિક્વિડ કેમિકલ લઈને પસાર થઈ રહ્યો હતો. પૂછપરછ બાદ જાણ થઈ કે તે વિદેશમાં બેઠેલા ISKPના આતંકીઓ સાથે સંપર્કમાં હતો. તે અન્ય બે કટ્ટરપંથી યુવકો મોહમ્મદ સુહેલ અને આઝાદ સૈફી સાથે મળીને આતંકી ઘટનાને અંજામ આપવાની તૈયારી કરી રહ્યો હતો.
- Advertisement -
ATSની તપાસમાં સામે આવ્યું કે, આ મોડ્યૂલ ખૂબ જ રેડિકલ હતું અને અમદાવાદ, લખનઉ અને દિલ્હીની ગ્રાઉન્ડ રેકી કરી ચૂક્યા હતા. તેની યોજના કોઈ મોટા ષડયંત્રનું બ્લુપ્રિન્ટ બનાવવાની હતી. સૈયદ મોટું ફંડ મેળવીને મોટા આતંકી હુમલાનો પ્લાન ઘડતો હતો. ડો. સૈયદ અહેમદનો ખતરનાક ઈરાદો હોવાનો ઘટસ્ફોટ થયો, ચીનમાં તબીબી અભ્યાસ કરનાર સૈયદના પાકિસ્તાનના કેટલાક લોકો સાથે સંપર્ક છે, તે સાયનાઇડથી ખતરનાક ઝેર રાયઝિન બનાવી રહ્યો હતો. અધિકારીઓના અનુસાર, આ પદાર્થ સાયનાઇડથી વધુ ઘાતક છે. તેની થોડી માત્રા પણ મોટા પ્રમાણમાં જાનહાનિ કરી શકે છે. આ મોડ્યૂલ આ લિક્વિડનો ઉપયોગ ક્યા પ્રકારે કરવાનો હતો તેની તપાસ ચાલી રહી છે.
હથિયાર બદલવા આવ્યા અને ATSએ ઝડપી લીધા
પૂછપરછમાં અહમદે જણાવ્યું કે, આ હથિયાર રાજસ્થાનના હનુમાનગઢથી મંગાવ્યા હતા. તેઓ તેને ગુજરાતમાં સપ્લાય આપવા આવ્યા હતા અને ડિલિવરી પૂર્ણ કર્યા બાદ હૈદરાબાદ પરત ફરવાના હતા. અઝજ એ તપાસ કરી રહી છે કે હથિયાર કઈ ચેનલ દ્વારા સપ્લાય નેટવર્કમાં આવ્યા હતા અને કયા લોકો સામેલ હતા. સૂત્રોના અનુસાર, ત્રણેય આતંકવાદી 1 વર્ષથી વધુ સમયથી ATSની રડારમાં હતા. તેમને ગુજરાતમાં હથિયાર બદલવાની માહિતી મળી, અને ATSએ તાત્કાલિક ઓપરેશન હાથ ધરી ત્રણેયની ધરપકડ કરી લીધી.
કેન્દ્રીય એજન્સીઓ પણ તપાસમાં સામેલ થઈ
આ સંપૂર્ણ કેસમાં રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓ પણ સામેલ છે. અઝજનો દાવો છે કે આ મોડ્યૂલ કોઈ મોટા હુમલાની યોજના બનાવી રહ્યા હતા, જેને સમય રહેતા નિષ્ફળ કરી દેવાયું.



