દેશમાં કટોકોટી લાગુ કરવામાં આવી, જેમાં સેનાને કોઇ પણ પ્રદર્શનકારીની સામે કાર્યવાહી કરવાની પરવાનગી
આર્થિક મંદીમાં સપડાયેલા શ્રીલંકામાં હવે લોકજુવાળ ઉઠયો છે. જેમાં સત્તાધારી પાર્ટીના એક સાંસદની મૃત્યુ થઇ ગઇ, તેમજ મહિંદા રાજપક્ષેના ઘરને પણ આંગ ચાંપી દેવામાં આવી. શ્રીલંકામાં ગઇકાલના ઘણો રક્તપાત થયો, જેમાં સાંસદ સહિત કેટલાક લોકોના મૃત્યુના તેમજ 150થી વધુ લોકોને ઇજાના સમાચાર આવ્યા છે. આવા સમયે દેશના પીએમ પદેથી રાજપક્ષેએ પણ રાજીનામું આપી દીધુ.
- Advertisement -
હિંસાને જોતા પ્રશાસને દેશમાં કર્ફ્યુ લગાવી દીધુ છે. જ્યારે રાજધાની કોલંબોને સૈનાને સોંપી દેવામાં આવ્યું છે.
જો કે, શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેના ઘરની બહાર પ્રદર્શનકારી શાંતિપૂર્વક રીતે પ્રદર્શન કરી રહ્યા હતા. આ વચ્ચે તેમના ભાઇ અને પીએમ રાજપક્ષેના કટ્ટર સમર્થકો પર હુમલો કરવામાં આવ્યો. ત્યારબાદ હિંસા ભડકી ઉઠી.
સાંસદએ કરી આત્હત્યા
સત્તાધારી પાર્ટીના સાંસદ Amarakeerthi Athukorala ની મૃત્યુ થઇ છે. જાણકારી મળ્યા મુજબ, તેમની ગાડીને નિટ્ટુબુવામાં સરકારની સામે પ્રદર્શન કરી રહેલા લોકોએ ઘેરી લીધા હતા. લોકોનું કહેવું છે કે તે દરમ્યાન સાંસદની SUV ગાડીમાં ફાઇરીંગ થઇ જેનાથી ભીડમાં હાજર લોકો વચ્ચે આફરાતફરી મચી ગઇ. ત્યારબાદ સાંસદ ત્યાંથી ભાગી ગયા અને એક બિલ્ડીંગમાં છુપાઇ ગયા, જ્યાં હજારો લોકોએ તેમને ઘેરી લીધા. મળેલી વિગતો અનુસાર, ભીડથી ડરીને સાસંદએ પોતાની જાતને રિવોલ્વરથી ગોળી મારી લીધી.બિલ્ડિંગમાંથી તેમના બોડીગાર્ડને તેમની લાશ મળી.
આ સમગ્ર ઘટના ક્રમમાં 27 વર્ષના એક વ્યક્તિની મૃત્યુ થઇ ગઇ. માનવામાં આવી રહ્યુ છે કે, સાંસદએ કારમાં ચલાવેલી ગોળી તે વ્યક્તિને લાગી હતી.
- Advertisement -
રાજપક્ષ અને સાંસદનો ઘર નિશાના પર
હિંસાની જેમ વધુ ભડકી રહી છે, તેમ પ્રદર્શનકારીઓ પણ ઉગ્ર બની રહ્યા છે. ત્યારબાદ પ્રદર્શનકારીઓએ મહિંદા રાજપક્ષેના પૈતૃક ઘરને પણ આગ ચાંપી દીધી. જે હમ્બનટોટા શહેરમાં આવેલું છએ. તેમની સાથએ જ કેટલાક સાંસદોના ઘરને પણ લોકોએ આગ લગાવી દીધી.
રાજપક્ષેએ આપ્યુ રાજનામું
શ્રીલંકાના પ્રધાનમંત્રી મહિંદા રાજપક્ષેએ લગભગ 3000 હજાર સમર્થકોની સામે કહ્યુ કે, રાષ્ટ્રહિતમાં તેઓ પીએમ પદ છોડી રહ્યા છે. જેથી હવે સરકાર ભાંગી ગઇ છે. હિંસાની વચ્ચે વિપક્ષી દળોનું કહેવું છે કે, હવે તેઓ કોઇ ગઠબંધનનો ભાગ નહીં બને, જેમાં રાજપક્ષે પરિવારનો સભ્ય હોય.
હાલમાં, શ્રીલેકાની સ્થિતિ બહુ ખરાબ છે. દેશમાં કટોકોટી લાગુ કરવામાં આવી છે, જેમાં સેનાને કોઇ પણ પ્રદર્શનકારીની ધરપકડ કરવાની તેમજ તેમની સામે કાર્યવાહી કરવાની પરવાનગી છે.