ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.29
સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ વર્ષે ચણાનું વિપુલ વાવેતર થયું છે. જિલ્લાના વિવિધ માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદી ચાલી રહી છે. લખતર રેલવે સ્ટેશન રોડ પર આવેલા નામદાર ઠાકોર સાહેબ કરણસિંહજી માર્કેટિંગ યાર્ડમાં ચણાની ખરીદીનો પ્રારંભ થયો છે. ઇન્ડિએગ્રો ક્ધસોટ્રિયમ ઉત્પાદક કંપની લિમિટેડ હેઠળ ગુજ એગ્રો ક્ધસોટ્રિયમ પ્રોડ્યુસર કંપની લિમિટેડ દ્વારા ચણાની ખરીદી કરવામાં આવી રહી છે. ટેકાના ભાવે ચણાનું વેચાણ કરવા માટે 413 ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ખેડૂતો પાસેથી પ્રતિમણ રૂપિયા 1130ના ટેકાના ભાવે ચણાની ખરીદી થઈ રહી છે. પ્રથમ દિવસે 10 ખેડૂતો પાસેથી લગભગ 400 મણ ચણાની ખરીદી કરવામાં આવી છે. કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહામંત્રી જયેશભાઈ પટેલ, મહિલા બાળ વિકાસ સમિતિના ચેરમેન નંદુબેન વાઘેલા, લખતર એપીએમસી ચેરમેન કર્મદીપસિંહ ઝાલા, તાલુકા ભાજપ પ્રમુખ રવિરાજભાઈ વાઢેર સહિત એપીએમસીના ડાયરેક્ટરો ઉપસ્થિત રહ્યા હતા.